Entertainment

ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલની સગાઈ અંગે મોટો ખુલાસો, સામે આવ્યું આ સત્ય

ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલની સગાઈ અંગે મોટો ખુલાસો, સામે આવ્યું આ સત્ય

- અભિનેતા ધર્મેન્દ્રની તબિયતને લઈને ઘરમાં તણાવનું વાતાવરણ 
- ધર્મેન્દ્રની બગડતી તબિયતને કારણે વહેલી તકે બંનેની સગાઈનું આયોજન કરવામાં આવ્યું 

મુંબઈ,શુક્રવાર 

   બોલિવૂડના જાણીતા સ્ટાર ધર્મેન્દ્ર આ દિવસોમાં ઘણી વખત બીમાર પડ્યા છે. અભિનેતાના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા. અભિનેતાની તબિયતને લઈને તેના ઘરમાં તણાવનું વાતાવરણ છે, જ્યારે અભિનેતાના પરિવાર વિશે એક સમાચાર ઝડપથી વાયરલ થયા હતા કે પૌત્ર એટલે કે સની દેઓલના પુત્ર કરણે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી દ્રિષા સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના લગ્નના સમાચાર ખોટા છે.

   એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે સની દેઓલના પુત્ર કરણે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી દ્રિષા સાથે સગાઈ કરી લીધી છે. આ સાથે બંને એકબીજાને લાંબા સમયથી ડેટ પણ કરી રહ્યા હતા. બંને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ થયા છે. તમને જણાવી દઈએ કે કરણ દેઓલની ટીમે આ અહેવાલોને નકારી કાઢતા કહ્યું છે કે, 'કરણ અને દ્રિશા બાળપણના મિત્રો છે. તેમની સગાઈના સમાચાર સાચા નથી. આ નિવેદન પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કરણના લગ્નનો સમય આવી ગયો છે. ઘણી વખત કરણ અને દ્રિશાને સાથે સ્પોટ કરી ચૂક્યા છે. બંને એકસાથે પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં પણ જતા જોવા મળ્યા છે. પરંતુ કરણ અને દ્રિશાએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. ધર્મેન્દ્રની બગડતી તબિયતને કારણે વહેલી તકે બંનેની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલની સગાઈ અંગે મોટો ખુલાસો, સામે આવ્યું આ સત્ય